મોરબી જિલ્લામાં વહીવટી ફેરબદલ : નવા કલેકટર તરીકે સ્વપ્રિલ ખરેની નિમણૂક

Image

રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યભરના 72 સનદી અધિકારીઓની એકસાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લામાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ મુજબ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની બદલી કરી તેમને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.


તેમના સ્થાને હાલ મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્રિલ ખરેને મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. બીજી તરફ મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે અગાઉ મોરબીમાં સેવા આપી ચૂકેલા સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે.


આ ઉપરાંત લાંબા સમયથી ઇન્ચાર્જ હવાલે ચાલી રહેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની જગ્યાએ હવે કાયમી અધિકારી તરીકે શ્રી વિદ્યાસાગરની નિમણૂક કરવામાં આવતા જિલ્લા પંચાયતના વહીવટમાં પણ નવી ગતિ આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફાર બાદ મોરબી જિલ્લાના પ્રશાસનિક વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને કલેકટર અને કમિશનર સ્તરે થયેલા બદલાવને આગામી સમયમાં વિકાસ કાર્યો અને વહીવટી કામગીરી પર સીધી અસર કરનાર માનવામાં આવી રહ્યા છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading