વાંકાનેરમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ : વૃક્ષદાન દ્વારા “સ્મૃતિ વન” નિર્માણનો સંકલ્પ

Image

વાંકાનેર શહેરમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળું ભવિષ્ય સર્જવાના હેતુથી શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર દ્વારા “વૃક્ષદાન મહાદાન” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકો પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી “સ્મૃતિ વન” નિર્માણમાં સહભાગી બની શકશે.


આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું સંવર્ધન, પર્યાવરણનું રક્ષણ અને આવનારી પેઢી માટે હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. “વાવો તમે, ઉછેરશું અમે” ના સૂત્ર સાથે મંડળ દ્વારા વૃક્ષોની સંભાળ અને જતનની જવાબદારી પણ લેવામાં આવશે.


આ અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે, દરેક વ્યક્તિ પોતાના પરિવારજનો કે સ્વજનોની યાદને જીવંત રાખવા માટે એક વૃક્ષદાન કરી શકે છે, જે ભવિષ્યમાં પર્યાવરણ માટે પણ અમૂલ્ય સાબિત થશે.


વૃક્ષદાન માટે વધુ માહિતી અને સંપર્ક માટે રવિભાઈ લખતરિયા (મો. ૯૮૨૪૧ ૯૩૨૭૪) નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading