હસનપર બ્રિજ પર કાર-બાઈક અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર; કારચાલક સામે ગુનો નોંધાયો

Image

વાંકાનેર નજીક હસનપર બ્રિજ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે કારચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


ફરિયાદ મુજબ, વાંકાનેરના જીનપરા આશિયાના રોડ વિસ્તારમાં રહેતા અને જુનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રવિભાઈ મુકેશભાઈ જોષીએ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમના પિતા મુકેશભાઈ અને નેશનલ મિનરલ્સ કારખાનામાં સાથે કામ કરતા સદાકતખાન 13 જુલાઈની રાત્રે મોટરસાયકલ (જીજે-36-એન-4061) પર કારખાને જવા નીકળ્યા હતા.


રાત્રે આશરે 11 વાગ્યે હસનપર બ્રિજ પર પહોંચતા આગળ જઈ રહેલી કાર (જીજે-36-એપી-8221)ના ચાલકે અચાનક વળાંક લેતા મોટરસાયકલ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સદાકતખાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને પ્રથમ સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 106(1), 125(અ-બ) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading