વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા ખાતે એક ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અઠવાડિયા પૂર્વે વઘાસિયા ગામનો એક કારચાલક ટોલ ચૂકવ્યા વગર જ પસાર થવાનો પ્રયાસ કરતા ટોલનાકાનું બૂમ બેરીયર તોડી નાખ્યું હતું.
આ બનાવ અંગે ટોલ પ્લાઝાના મેનેજર મુકેશ નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 8 એપ્રિલના રોજ જીજે-10-ટીવાય-0847 નંબરની કાર લઈને આવેલ સંજયસિંહ ઝાલા (રહે. વઘાસિયા) ટોલ ચૂકવ્યા વગર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
ટોલ કર્મચારીઓએ કાર રોકતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને કર્મચારીઓને ફડાકા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









