વાંકાનેરના રહેવાસી અને મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય શ્રી મહેશકુમાર નેણશીભાઈ ખાંડેખા (રાજગોર)ને જન્મદિવસ નિમિત્તે શહેર તેમજ સમાજમાં શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.
બ્રહ્મસમાજનું ગૌરવ ગણાતા મહેશભાઈ તેમની જીવદયાપ્રેમી ભાવના, સેવાભાવી સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેઓ હંમેશા જનહિતના કાર્યોમાં સક્રિય રહી સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
તેમનું જીવન સેવા, સંસ્કાર અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે, જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. આ અવસરે શુભેચ્છકોએ ભગવાનને પ્રાર્થના કરી કે મહેશભાઈને સદૈવ ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ તેઓ આવનારા સમયમાં વધુ ઊંચાઈઓ સર કરે અને સમાજને માર્ગદર્શન આપતા રહે.









