વાંકાનેર જીનપરા ખાતે આવેલ શ્રી ચેતક હનુમાનજી મંદિર ના નવનિર્માણ – પુનઃ જીર્ણોધાર નિમિતે 22 માર્ચે મહારક્તદાન કેમ્પ યોજાશે

Image

વાંકાનેર ના જીનપરા વિસ્તારમાં જીનવાળી શેરી માં આવેલ આશરે 50 વર્ષ જૂનું શ્રી ચેતક હનુમાનજી મંદિર ખાતે મંદિર ના નવનિર્માણ – પુનઃ જીર્ણોધાર નિમિતે સમાજ સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “દાન એ જ શ્રેષ્ઠ સેવા છે” ના સંદેશ સાથે યોજાનાર આ કેમ્પ તા. 22 માર્ચ 2026, રવિવારના રોજ સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી યોજાશે.


આ કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈને રક્તદાન કરી માનવ સેવા કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ “તમારું એક રક્તદાન કોઈના જીવને બચાવી શકે છે”, તેથી યુવાઓ અને નાગરિકોને ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.


રક્તદાન કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે જીગ્નેશભાઈ નાગ્રેચા (મો. 75677 67777) તથા રવિભાઈ લખતરીયા (મો. 98241 93274) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.


આ મહારક્તદાન કેમ્પ શ્રી ચેતક હનુમાનજી મંદિર, જીનવાળી શેરી, જીનપરા, વાંકાનેર ખાતે યોજાશે. આયોજકો દ્વારા તમામ ભાવિકો અને નાગરિકોને રક્તદાન માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading