વાંકાનેર ખાતે આજ રોજ નાઈ વાણંદ સમાજના આરાધ્ય સંત સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની 726મી જન્મજયંતીની ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રી સેન મહારાજની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ ભક્તિભાવપૂર્વક મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ રાછડીયા, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર તથા મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર ના સભ્યો સહિત વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










