વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસનું પ્રારંભ, વિધિવત પૂજન સાથે રવાના

Image

રાજકોટ વિભાગના વાંકાનેર એસ.ટી. કેન્દ્ર ખાતે આજે વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી હતી. રાજકોટ વિભાગીય નિયામક, DTO, DME તેમજ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાની રજૂઆતના અનુસંધાને બપોરે 2:30 કલાકે નવી બસને રૂટ પર શરૂ કરવામાં આવી હતી.


નવી બસનું શ્રીફળ વધેરી, કંકુ-ચાંદલા કરી અને ફૂલહારથી શણગાર કરીને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બસના ડ્રાઈવર આશિષભાઈ વાજા અને કંડકટર અશોકભાઈ થુલેટીયાની ઉપસ્થિતિમાં મુસાફરોને મીઠાઈ વહેંચવામાં આવી હતી.


આ પ્રસંગે ડેપો મેનેજર એ. એન. પઢારીયા, TI રહીમભાઈ પરમાર, કર્મચારી મંડળના વિવિધ પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં એસ.ટી. કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી બસ સેવાને શુભેચ્છાઓ પાઠવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading